Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરિક્ષાનું ૪૩.૩૭% પરિણામ

૧૦૩૬૪૯ પરીક્ષાર્થીઓમાંથી માત્ર ૪૪૯૪૮ છાત્રો પ્રમાણપત્ર મેળવવાના પાત્ર : પાસ થયા

રાજકોટ, તા. ૨૪ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માસે લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયુ છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ૪૩.૩૭% આવ્યુ છે.

ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા ગુજરાતભરમાંથી ૧૦૩૬૪૯ પરીક્ષાર્થીઓએ આપી હતી. જેમાં માત્ર ૪૪૯૪૮ છાત્રો પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. ૪૪૯૪૮ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓનું પરીણામ વધુ આવ્યુ છે.

(12:00 am IST)