Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

પુણેમાં PFI સમર્થકોએ પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કર્યા :60 વિરુદ્ધ કેસ નોંધાયો: અનેકની અટકાયત

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સૂત્રોચ્ચારમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.

મુંબઈ :  PFIના સેંકડો સમર્થકોએ શુક્રવારે પુણેમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર દેશભરમાં તેમના નેતાઓની ધરપકડના વિરોધમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. સાથે જ સૂત્રોચ્ચાર બાદ તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જે બાદ સંગઠનના ઘણા સમર્થકોને ત્યાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જ્યારે 60 વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

  આ મામલે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યમાં આવા સૂત્રોચ્ચાર સહન કરવામાં આવશે નહીં, જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સૂત્રોચ્ચારમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.

(12:44 am IST)