Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ઉકાળો :મધ્ય પ્રદેશ સરકારે કોરોના કાળમાં જનતાને 30 કરોડનો ઉકાળો પાયો: કોંગ્રેસે તપાસની માંગ કરી

રાજ્યની જનતાને પચાસ ગ્રામ ઉકાળાના 6 કરોડ પેકેટ વહેંચ્યાં જેમની કિંમત 30 .64 કરોડ રુપિયા થઇ

ભોપાલ :મધ્ય પ્રદેશની અંદર કોરોના કાળમાં શિવરાજ સરકારના એક નિર્ણયે હવે તેમના માટે મુશ્કેલી ઉભી કરી છે. કોરોના કાળમાં રાજ્યના લોકોને બિમારીથી બચાવવા માટે અને તેમની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધરો કરવા માટે ત્રિકુટ ઉકાળો વહેંચવામાં આવ્યો હતો. ત્યારે હવે વિધાનસભમાં શિવરાજ સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું કે રાજ્યની જનતાને પચાસ ગ્રામ ઉકાળાના 6 કરોડ પેકેટ વહેંચવામાં આવ્યા છે, જેમની કિંમત 30 કરોડ 64 લાખ રુપિયા થઇ છે.

સરકારે ઉકાળાની આટલી મોટી કિંમત ગણાવતા કોંગ્રેસે તેના પર સાવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય જીતુ પટવારીએ આ સવાલ પુછ્યો હતો. સરકારના જવાબ બાદ પટવારીએ કહ્યું કે આ જનતની પરસેવાની કમાણી છે, જેનો ઉકાળો બનાવીને સરકારે જનતાને જ ઉલ્લુ બનાવી છે. સરકારે આ મામલાની તપાસ કરાવવી જોઇએ.

ત્રિકુટ નામનો આયુર્વેદિક ઉકાળો મધ્ય પ્રદેશ સરકારના વન વિભાગના એક ઉપક્રમ લઘુ વનોપજ સંઘ દ્વારા બનાવવામાં આવ્યો હતો. હવે તના પર સવાલો ઉઠી રહયા છે.સરકારનો દાવો છે કે આ ઉકાળો લોકોની ભલાઇ માટે મફત વહેંચવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે રાજ્યના લોકોની ભલાઇ માટે સરકાર ગમે તેટલા પસા ખરેચ કરવા માટે તૈયાર છે

(12:00 am IST)