Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મહંત નરેન્દ્ર ગિરીની કથિત આત્મહત્યાના મુખ્ય આરોપી આનંદ ગિરીની જામીન અરજીમાં વધુ એક મુદત : સીબીઆઈના વકીલ હાજર ન રહેવાથી અલ્હાબાદ હાઇકોર્ટમાં મામલાની સુનાવણી 31 જાન્યુઆરી સુધી મુલતવી : 72 વર્ષીય મહંત નરેન્દ્ર ગિરી 20 સપ્ટેમ્બરના રોજ તેમના રૂમની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા અને કથિત સુસાઈડ નોટમાં આરોપી ગિરી અને તિવારીના નામ સામે આવ્યા હતા

અલ્હાબાદ : મહંત નરેન્દ્ર ગિરીના કથિત આત્મહત્યાના મૃત્યુના મુખ્ય આરોપી આનંદ ગિરીની જામીન અરજીમાં દલીલો આજે થઈ શકી ન હતી કારણ કે સીબીઆઈના વકીલ ઉપલબ્ધ ન હતા અને તેથી, આ મામલાની સુનાવણી 31 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી.

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીની આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવા બદલ ગિરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલમાં આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આનંદ ગિરી હાલમાં કસ્ટડીમાં છે અને જામીન અરજી સાથે હાઈકોર્ટમાં ગયા હતા.

તેમના વકીલ, વરિષ્ઠ એડવોકેટ ગોપાલ દાસ ચતુર્વેદીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે આત્મહત્યા માટે ઉશ્કેરણી સાથે સંબંધિત કેસ જેમાં વધુ કંઈ દલીલ કરવાની જરૂર નથી છતાં પણ આ મામલાને વારંવાર મુલતવી રાખવામાં આવે છે.

 

મહંત નરેન્દ્ર ગિરી (72), સોમવારે (20 સપ્ટેમ્બર) યુપીના પ્યાગરાજમાં બાગંબરી મઠમાં તેમના રૂમની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા, અને આરોપી ગિરી અને તિવારીના નામ એક કથિત સુસાઈડ નોટમાં સામે આવ્યા હતા જે કહેવાય છે કે કથિત રીતે થોડા સમય પહેલા હિન્દુ સંત દ્વારા લખાયેલ તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:32 pm IST)