Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મહારાષ્ટ્રમાં ઘટતો કોરોનાનો કહેર:નવા 28.286 પોઝીટીવ કેસ નોંધાયા :મુંબઈમાં 1857 નવા કેસ

રવિવારની તુલનામાં લગભગ 12 હજાર ઓછા કેસ: એક જ દિવસમાં 36 લોકોના કોરોનાને કારણે મોત

મુંબઈ : સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર પણ ઓછો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 28 હજાર 286 નવા કોરોના કેસ નોંધાયા છે.  એટલે કે, રવિવારની તુલનામાં લગભગ 12 હજાર ઓછા કેસ નોંધાયા છે. ખાસ કરીને મુંબઈની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર મુંબઈમાં 1857 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કારણે મૃત્યુઆંક ઘટ્યો છે. એક જ દિવસમાં 36 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ રીતે, રાજ્યમાં મૃત્યુ દર હવે 1.88 ટકા થઈ ગયો છે. આ સાથે રાજ્યમાં 21 હજાર 941 લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે પણ ગયા છે.

સોમવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 86 નવા કેસ નોંધાયા હતા. એટલે કે, ઓમિક્રોનના કેસ પણ પહેલા કરતા ઘટી રહ્યા છે. આ રીતે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા અત્યાર સુધીમાં 2845 પર પહોંચી ગઈ છે. તેમાંથી 1454 લોકો ઓમિક્રોનમાંથી મુક્ત પણ થઈ ગયા છે.

(12:40 am IST)