Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

પાકિસ્તાન પછી જઈશું પહેલા PoK પરત લાવો : ફડણવીસના નિવેદન પર સંજય રાઉતનો પલટવાર

ભાજપે પહેલા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને ભારત પરત લેવું જોઈએ. પછી કરાચી વિશે વાત કરો.

મુંબઈ : મહારાષ્ટ્ર્ના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના ‘અખંડ ભારત’ નિવેદન સામે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, જો કરાચી ભારતનો ભાગ બને છે, તો અમે તેનું સ્વાગત કરીશું. પરંતુ ભાજપે પહેલા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને ભારત પરત લેવું જોઈએ. પછી કરાચી વિશે વાત કરો.

શિવસેનાના નેતાએ અખંડ ભારતના ફડણવીસના નિવેદનની ટીકા કરતા કહ્યું કે ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું કે શિવસેનાના નેતાએ મુંબઈમાં કરાચી બેકરીનું નામ બદલવાની ધમકી આપ્યા પછી અમે અખંડ ભારત પર વિશ્વાસ કરીએ છીએ. અમારું માનવું છે કે એક દિવસ કરાચી પણ ભારતનો ભાગ બનશે.

જો કે શિવસેનાના નેતાની ધમકી પર પાર્ટીએ પોતાને દૂર રાખી હતી. રાઉતે કહ્યું હતું કે આ રીતનું પક્ષનું વલણ યોગ્ય નથી. કરાચી બેકરી અને કરાચી સ્વીટ છેલ્લાં 60 વર્ષથી મુંબઇમાં છે અને પાકિસ્તાન સાથે તેમનો કોઈ સંબંધ નથી.

(10:37 am IST)