Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પીએમના આશીર્વાદ લઇને ફરી લાલુની શરણમાં ન જાય : નીતીશકુમાર પર ચિરાગ પાસવાનના પ્રહાર

પહેલા બિહારને છેતર્યું હવે ભાજપને છેતરી રહ્યા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન સામે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે. ત્યારે હવે, લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને રાજ્યના સીએમ નીતીશ કુમાર પર નિશાન સાધ્યું છે.

ચિરાગે એક પછી એક ટ્વિટ કરીને કહ્યુ કે, ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ લઈને આ વખતે સાહેબ લાલૂ પ્રસાદ યાદવના શરણમાં ન ચાલ્યા જાય. ચિરાગ પાસવાને ટ્વીટ કરતા લખ્યુ- પાછલીવાર લાલૂ પ્રસાદ યાદવના આશીર્વાદથી નીતીશ કુમાર મુખ્યપ્રધાન બન્યા અને પછી તેમને દગો આપી વડાપ્રધાનના આશીર્વાદથી રાતો રાત મુખ્યપ્રધાન બની ગયા. આ વખતે ક્યાંક પીએમ મોદીના આશીર્વાદ લઈને સાહેબ ફરી લાલૂ પ્રસાદ જીના શરણમાં ન ચાલ્યા જાય

ચિરાગે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે નીતીશ કુમારે ષડયંત્રથી ભાજપને પાછલી ચૂંટણીમાં લડેલી 157 સીટની જગ્યાએ ઓછી સીટ આપી છે. આજે નીતીશને 121 સીટો જોઈતી હતી તો પોતાના રાજકીય ગુરૂ આદરણીય લાલૂ પ્રસાદ યાદવની સાથે 101 પર માની ગયા હતા પરંતુ ભાજપની સાથે તેમને 101 સીટથી વધુ જોઈએ. પહેલા બિહારને છેતર્યું હવે ભાજપને છેતરી રહ્યા છે.

(12:00 am IST)