Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મહારાષ્‍ટ્રના પાલધર હિંસા પ્રકરણમાં સીઆઇડીએ નવા ર૦૮ લોકોના નામ આરોપી તરીકે જોડયા

પ૦ લોકોની ધરપકડ પણ કરીને પુછપરછ હાથ ધરાઇ

મુંબઇ : મહારાષ્‍ટ્રના પાલધર હુમલા કેસમાં સીઆઇડીએ કુલ ર૦૮ વધારે આરોપીના નામો એફ.આઇ.આર.માં જોડીને પ૦ લોકોની ધરપકડ પણ કરી લીધી છે.

હવે ધરપકડ કરાયેલ લોકોની સંખ્‍યા ૩૭૬ પર પહોંચી છે. જેમાં બે બાળ આરોપીઓ પણ છે.

સીઆઇડીએ રજુ કરેલ ચાર્જશીટમાં નામ ન હોવાથી ર૮ આરોપીએ અને ૯ બાળ આરોપીઓને જામીન પર છોડવામાં આવ્‍યા છે.

(11:34 am IST)