Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સિધ્ધુની તાજપોશીમાં જઇ રહેલ કાર્યકરોની બસને અકસ્માતઃ ૭ના મોત

પંજાબના મોગા પાસે

અમૃતસર તા. ર૩: પંજાબના મોગા જીલ્લામાં કોંગ્રેસના નવા અધ્યક્ષ નવજોત સિધ્ધુના શપથગ્રહણ કાર્યક્રમમાં કાર્યકરોને લઇને જતી બસને ગમખ્વાર અકસ્માત નડયો છે. જેમાં ૭ના મોત થયા છે અને ૩૦થી વધુ ઘાયલ થયા છે.આ અકસ્માત આજે સવારે થયો છે.  કોંગ્રેસ કાર્યકર્તાઓની બસની સામેથી આવતી અન્ય બસ સાથે ટકકર થઇ હતી. ઘાયલોને હોસ્પીટલમાં દાખલ કરાવાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ અને સ્થાનીય તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. ડોકટરો મુજબ ઘાયલોમાં અમુક ગંભીર છે અને મોતનો આંકડો વધવાની શકયતા છે.

(2:50 pm IST)