Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સોપોરના વારપોરા વિસ્તારમાં ચાલુ છે ઓપરેશન

જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ ૨ આંતકીનો ખાતમો કર્યો : તૈયબાનો ટોપ કમાન્ડ ઠાર

શ્રીનગર,તા.૨૩: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આતંકી અથડામણમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. જો કે ઓપરેશન હજુ પૂરું થયું નથી અને વિસ્તારમાં સર્ચ અભિયાન ચાલુ છે. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે મળીને જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યુ.

જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક લશ્કર એ તૈયબા(LeT) નો ટોપ કમાન્ડર ફયાઝ વાર છે. જે નાગરિકો અને સુરક્ષા દળો પર થયેલા અનેક હુમલાઓ અને હત્યામાં સામેલ હતો. છેલ્લે તેણે ઉત્ત્।ર કાશ્મીરમાં આતંકી દ્યટનાને અંજામ આપ્યો હતો. હજુ બીજા આતંકીની ઓળખ થઈ નથી. પરંતુ કહેવાય છે કે તે પણ લશ્કર એ તૈયબા સાથે જ જોડાયેલો હતો.

સુરક્ષાદળોને ગઈ કાલે મોડી સાંજે જમ્મુ અને કાશ્મીરના સોપોરના વારપોરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને દ્યેરી લીધો અને સર્ચ અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ અને સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી.

(11:33 am IST)