Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કેન્દ્ર સરકારે પેગાસસ માલવેરની મદદથી અમારી જાસૂસી કરાવી: ખેડૂત નેતાનો આક્ષેપ

યોગેન્દ્ર યાદવે પણ કહ્યું હતું કે સંખ્યાબંધ ખેડૂતોના ફોનનંબરની જાસૂસી કરવામાં આવી હોવાની પૂરી શક્યતા

નવી દિલ્હી : ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ઈઝરાયેલના પેગાસસ માલવેરની મદદથી અમારી જાસૂસી કરાવી છે. શિવકુમાર કક્કાએ કહ્યું હતું કે આ સરકાર નીતિવિહોણી સરકાર છે. અમને શંકા છે કે અમારા બધા જ ખેડૂત નેતાઓના નંબર ટેપ થયા છે અને અમારી જાસૂસી થઈ છે.

યોગેન્દ્ર યાદવે પણ કહ્યું હતું કે ૨૦૨૦-૨૧ના વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોના ફોનનંબરની જાસૂસી કરવામાં આવી હોવાની પૂરી શક્યતા છે. યોગેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે ખેડૂતોની બસોને ચેક કરવાના બહાને ખેડૂત નેતાઓને પરેશાન કરવામાં આવે છે અને તેમને જંતર-મંતર પહોંચવામાં મોડું થાય એવું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે.

(12:05 am IST)