Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

આસામમાં પૂરનો હાહાકાર :બે બાળકો સહીત વધુ છ લોકોના મોત : મૃત્યુઆંક 24 થયો :22 જિલ્લાના 7 લાખથી વધુ લોકો પ્રભાવિત

પૂરની સ્થિતિ વધુ વણસી : નાગાંવ જિલ્લાના કામપુર રેવન્યુ વિસ્તારમાં ચાર લોકો પાણીમાં ડૂબી ગયા

આસામમાં રવિવારે પૂરની સ્થિતિ વધુ વણસી હતી. રાજ્યમાં બે બાળકો સહિત વધુ છ લોકોના મોત થયા છે. તે જ સમયે, 22 જિલ્લાઓમાં 7.2 લાખથી વધુ લોકો પાણીમાં ડૂબી જવાથી પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના દૈનિક પૂર અહેવાલ મુજબ, નાગાંવ જિલ્લાના કામપુર રેવન્યુ વિસ્તારમાં ચાર લોકો પાણીમાં ડૂબી ગયા હતા

(11:03 pm IST)