Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

તેલંગાણાના પ્રથમ ગૃહ પ્રધાન નૈની નરસિંમ્હા રેડ્ડીનું કોરોનાના કારણે હૈદરાબાદમાં નિધન

સાજા થયા બાદ ઘરે પરત ફર્યા હતા ફરીથી તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

હૈદરાબાદ : તેલંગાણાના પ્રથમ ગૃહ પ્રધાન અને વરિષ્ઠ નેતા નૈની નરસિમ્હા રેડ્ડીનું હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. નૈની નરસિમ્હા રેડ્ડી 28 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જે બાદ તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

તેઓ બે અઠવાડિયામાં જ સાજા થઇ ગયા હતા અને પોતાના ઘરે પરત ફર્યા હતા. જોકે થોડા દિવસો પછી તેમની તબિયત ફરીથી બગડી હતી અને તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

(9:31 am IST)