Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ઇકોનોમીની ગાડી પાટે ચડી રહી છેઃ દેશની અર્થવ્યવસ્થા "V" આકારમાં દોડશેઃ "V"નો અર્થ છે વેકસીન

રસીકરણ અભિયાન સફળ થશે તો અર્થતંત્ર ઝડપથી આગળ વધશેઃ RBI

મુંબઈ, તા.૨૨: કોરોના કાળની મંદી પછી દેશમાં ફરી એકવાર અર્થતંત્રની ગાડી પાટે ચડી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દાવો કર્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થા સકારાત્મક વૃદ્ઘિથી ફકત કેટલાક જ પગલા દૂર છે. ભારતીય અર્થતંત્રમાં થઈ રહેલી વી શેપ રિકવરીનો ઉલ્લેખ કરતા RBIએ કહ્યું કે આ રિકવરીમાં સ્દ્ગટ અર્થ વેકિસન થાય છે. સરળ શબ્દોમાં સમજીએ તો RBIનું કહેવું છે કે હવે વેકિસન આવી ગયા બાદ ભારતીય અર્થવ્યવસ્થા ઝડપ પકડશે. આરબીઆઈ ૨૦૨૧ના સ્ટેટ ઓફ ઇકોનોમી આર્ટિકલમાં કહ્યું કે ભારતે દુનિયાનો સૌથી મોટો વેકસીનેશન પ્રોગ્રામ શરું કરી દીધો છે. જે મેડિસિન ક્ષેત્રમાં ભારતની ઉત્પાદન ક્ષમતાને દર્શાવે છે.

RBIએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારતને પોલિયો અને ઓળી અછબડાના રસીકરણ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવાનો અનુભવ છે. વધુમાં, મેક્રોઇકોનોમિક લેન્ડસ્કેપમાં તાજેતરના ફેરફારોને કારણે અર્થતંત્રના દૃષ્ટિકોણમાં સુધારો થયો છે. ફુગાવામાં દ્યટાડો થયો છે, જે કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં સકારાત્મક વૃદ્ઘિની અપેક્ષાઓને વેગ આપે છે. જો આ સ્થિતિ રહેશે તો આર્થિક વિકાસની ગતિને ટેકો મળશે. આ અહેવાલ લખનાર કેન્દ્રીય બેંકના ડેપ્યુટી ગવર્નર માઇકલ દેવરાતા પાત્રાએ જણાવ્યું હતું કે, જો રસીકરણ અભિયાન સફળ થશે તો અર્થતંત્ર ઝડપથી વધશે.

કેન્દ્રીય બેંકના અહેવાલમાં વિલિયમ શેકસપિયરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘Winter of discontent will be made glorious summer’ એટલે કે અસંતોષ અને દુૅંખનો સમય વીતી ગયો છે. હવે તે માત્ર સારું થવાનું છે, એટલે કે રસી એક સારા અનુભવમાં ફેરવાઈ ગઈ છે. આ લેખનો અંદાજ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થતંત્રમાં ૭.૭ ટકાનો દ્યટાડો થઈ શકે છે, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં તેમાં તીવ્ર વૃદ્ઘિ જોવા મળશે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પહેલા ભાગમાં ગ્રાહક ખર્ચમાં વધારો આર્થિક વિકાસમાં મદદ કરશે.

આરબીઆઈએ સ્ટેટ ઓફ ઇકોનોમી લેખમાં જણાવ્યું હતું કે બેંકોની નોન-પફાર્િેર્મંગ એસેટ્સ (એનપીએ) ઘટી રહી છે અને લોન રિકવરીમાં પણ સુધારો થયો છે. મૂડી ના સિંચન અને બાકી લોનને સંભાળવાની નવી રીતો દેશના અર્થતંત્રને વિકાસ અને વૃદ્ઘિમાં પાછા લાવશે. જોકે, તે એમ પણ કહે છે કે કોરોના વાયરસની અસરોમાંથી સંપૂર્ણપણે બહાર આવવામાં અને અર્થતંત્રને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં સમય લાગશે. એક અંદાજ મુજબ આ વર્ષે રવિ પાકની બમ્પર ઉપજ મળશે.

અહેવાલમાં જણાવાયું છે કે જાન્યુઆરી ૨૦૨૧થી ગ્રાહકોના વિશ્વાસમાં સુધરો દેખાશે, જે જુલાઈ ૨૦૨૧માં ટોચ પર રહેશે અને આગામી તહેવારની સીઝન પહેલા સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગળ જતા, બે સકારાત્મક ફીચર્સ એચ૨માં ફિસ્કલ લેન્ડસ્કેપને આકાર આપવા જઈ રહી છે. પ્રથમ, સામાન્ય સરકારનો કુલ રાજકોષીય ખાધથી જીડીપી રેશિયો મધ્યમથી ૧૦.૪ ટકા થવાની સંભાવના છે. આ વિકાસ આવક આધારિત હશે કારણ કે એચ ૨ દરમિયાન કરવામાં આવેલા સતત પ્રયાસનું ફળ મળી રહ્યું છે અને તે અર્થતંત્ર સકારાત્મક રીતે પરત ફરી રહ્યું છે. બીજું ફીચર્સ એચ ૨માં રાજકોષીય ખાધની ગુણવત્ત્।ા પણ વધુ સારી રહેવાની શકયતા છે.

RBI નોન ઓઇલ વસ્તુઓના એકસપોર્ટમાં પણ ફરી વધારો જોઈ રહ્યું છે કારણ કે દવાઓ, ફાર્માસ્યુટિકલ, ખેતીની વસ્તુઓ અને લોખંડની વસ્તુઓના શિપમેન્ટમાં વધારો થઈ રહ્યો છે. RBIએ કહ્યું કે, 'ભારત પહેલાથી જ દુનિયાભરમાં વેચાતી જુદી જુદી રસીઓના ૬૦ ટકાનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત જથ્થાબંધ દવાઓ અને મેડિકલ ઉપકરણો માટે શરું કરવામાં આવેલ ઉત્પાદન લિંકડ પ્રોત્સાહન યોજનાને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે અને આગળ વધતા દવા અને ફાર્માસ્યુટિકલ જેવી પ્રોડકટના એકસપોર્ટમાં પણ આ યોજનાનો લાભ મળવાની આશા છે.'

(3:56 pm IST)