Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

આખરે કરણી સેનાએ ભણસાલીના આમંત્રણને સ્વીકાર્યું : રીલીઝ પેહલા જોશે પદ્મવત : ફિલ્મ જોયા પછી કરશે નિર્ણય

"ભણસાલીનો પત્ર મળ્યો પરંતુ તે તમાશો બનાવવા માટે છે ? ફિલ્મ જોવા આમંત્રણ આપ્યું પરંતુ તારીખ જણાવી નથી - હું ફિલ્મ જોવા તૈયાર - મીડિયા પણ સાથે ચાલે - ભણસાલી તારીખ જણાવે હું ચોક્કસ ફિલ્મ જોવા જઈશ" : લોકેન્દ્રસિંહજી કાલવી

જયપુર :  ફિલ્મ પદ્માવતના વિરોધના લઈને પદ્માવત નિહાળવા માટેના ભણસાલીના પત્ર પર પ્રતિક્રિયા આપતા કરણી સેનાના સ્થાપક શ્રી લોકેન્દ્રસિંહજી કાલવીએ કહ્યું છે કે "હા ભણસાલી તરફથી પત્ર આવ્યો છે પણ આ એક ધોખો છે, તમાશો બનાવવા માટે છે, ફિલ્મ જોવા માટે બોલાવેલ છે પરંતુ તારીખ હજુ સુધી તેણે જણાવી નથી.."

તેઓએ વધુમાં કહ્યું હતું કે "હું તો ફિલ્મ જોવા માટે તૈયાર છું અને ઈચ્છું છું કે મીડિયા પણ સાથે ચાલે, પરંતુ ભણસાલીને અપીલ છે કે તે મજાક ના બનાવે અને પહેલા મીડિયાને બોલાવીને ફિલ્મ ના બતાવે. તેઓ તારીખ જણાવે તો હું ફિલ્મ ચોક્કસ જોઇશ. કદાચ ભણસાલીએ એવી આશા રાખી હશે કે અમે તેમના આમંત્રણનો અસ્વીકાર કરીશું."  તેમ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી કરણી સેનાના સભ્યો ફિલ્મ જોઇને કોઈ નિર્ણય ન લ્યે, ત્યાં સુધી ફિલ્મને રીલીઝ નહી થવા દેવાય કે કરણી સેના બીજા કોઈને આ ફિલ્મ જોવા પણ નહી દયે.

(9:18 pm IST)