Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

વડાપ્રધાન શ્રી મોદીએ ખોલ્યું 'કોંગ્રેસ મુક્ત ભારત' ના નારાનું રહસ્ય

રાજનીતિમાં જેટલી બુરાઈ સમાયેલ છે તે તમામ કોંગ્રેસની દેન છે...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કેટલીય મહત્વની બાબતે ચોખવટ કરી હતી તેમાં નોટબંધી,જીએસટી અને બજેટ અંગે પણ પોતાનો પક્ષ રાખ્યો હતો આ દરમિયાન તેઓએ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે રાજનીતિમાં જેટલી બુરાઈ સમાયેલ છે તે તમામ કોંગ્રેસની દેન છે.

વડાપ્રધાનને જયારે 'કોંગ્રેસ મુક્ત ભારત 'ના નારા અંગે પુછાયું ત્યારે તેઓએ વિસ્તારથી વ્યાખ્યા કરતા કહ્યું કે તેના નારાને ખોટા અર્થમાં લેવાયું છે તેનો મતલબ કોંગ્રેસથી નહીં પરંતુ રાજનીતિમાં અંદર ઘુસેલા કોંગ્રેસી કલ્ચર સાથે હતો.

મોદીએ કહ્યું કે કોંગ્રેસે રાજનીતિને ખુબ જ બરબાદ કરવાનું કામ કર્યું છે કર્યું છે કોંગ્રેસ આધારિત રાજનીતિમાં જાતિવાદ,પરિવારવાદ ,છેતરપિંડી,ભ્રષ્ટ્રાચાર,સત્તા લાલચ જેવા દુર્ગુણ સમાયેલા રહ્યાં છે મારો મતલબ કોંગ્રેસની આ નીતિ સાથે હતો જેનો ખાત્મો થવો જોઈએ.

(12:26 am IST)