Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

‘‘દરબાર એ ખાલસા'': અમેરિકાના કેલિફોર્નિયામાં ૨૫ ડિસેં.ના રોજ ગુરૂ ગોવિંદસિંહજીની ૩૫૧ની જન્‍મજયંતિ ઉજવાશેઃ ખાલસા બજાર, ખાલસા પરેડ, ભજન કિર્તન, ઉદબોધનો, બાળકોના પ્રોગ્રામ, બ્રેકફાસ્‍ટ, ગુરૂકા લંગર સહિત કાર્યક્રમો યોજાશેઃ સાઉથ કેલિફોર્નિયાના તમામ શીખ સંગઠનો તથા ગુરૂદ્વારાઓ જોડાશે

કેલિફોર્નિયાઃ ‘‘દરબાર એ ખાલસા'' યુ.એસ.માં કેલિફોર્નિયા મુકામે આગામી ૨૫ ડિસેં. ૨૦૧૭ સોમવારે શીખોના દરમા ગુરૂ ગોવિંદસિંહજીની ૩૫૧મી જન્‍મજયંતિ ઉજવાશે.

ઇન્‍ટરનેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ગુરમત સ્‍ટડીઝ ઇન્‍કના ઉપક્રમે ફેરપ્‍લેક્ષ પોનોમા ૧૧૦૧ W. એમ્‍સકિનલે એવન્‍યુ ગેટ ૧૭ બિલ્‍ડીંગ પોનોમાં કેલિફોર્નિયા ખાતે ‘દરબાર એ ખાલસા' નામથી થનારી ઉજવણીનો સમય સવારે સાત વાગ્‍યાથી બપોરે ૩ વાગ્‍યા સુધીનો રહેશે.

જેમાં સાઉથ કેલિફોર્નિયાના શીખ સંગઠનો તથા ગુરૂદ્વારાઓ જોડાશે. જેમાં ખાલસા બજાર, ખાલસા પરેડ, ભજન, કાવ્‍યો, ઉદબોધનો, બાળકોના પ્રોગ્રામ, બ્રેકફાસ્‍ટ ગુરૂકા લંગર, સહિતના આયોજનો કરાયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:11 pm IST)