Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મહંત નરેન્દ્રગિરી આપઘાત કેસ

આનંદગીરી બાદ બડે હનુમાન મંદિરના પુજારી અને તેના દિકરાની ધરપકડ : CBI તપાસની માંગ ઉઠી

નવી દિલ્હી તા. ૨૧ : અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગિરીએ સોમવારે સાંજે તેમના મઠમાં આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસને મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં મહંતે તેમના શિષ્ય આનંદ ગીરથી નાખુશ હોવાની વાત કરી છે. તે જ સમયે, ઉત્તરાખંડ પોલીસે હરિદ્વારમાં તેના શિષ્ય આનંદ ગિરીની ધરપકડ કરી છે, યુપી પોલીસ તેને લેવા માટે હરિદ્વાર જવા રવાના થઈ છે.
મહંત નરેન્દ્રગિરીએ સુસાઈડ નોટમાં આનંદગિરીનું નામ જ લખ્યું હતું, પણ બડે હનુમાન મંદિરના પૂજારી આદ્યા તિવારીનું નામ પણ સુસાઈડ નોટમાં લખ્યું છે. જે બાદ પોલીસે પુજારી આદ્યા તિવારી અને તેના પુત્ર સંદીપ તિવારીને પણ કસ્ટડીમાં લીધા છે. નોંધનીય છે કે મહંત નરેન્દ્ર ગિરી પાસે મળી આવેલી સુસાઇડ નોટમાં આનંદ ગિરી, આદ્યા તિવારી અને સંદીપ તિવારી પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
તે જ સમયે, આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠવા લાગી છે. દેવેન્દ્ર સિંહ વાઈસ પ્રેસિડેન્ટે માંગ કરી છે કે આ કેસ CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન) ને આપવો જોઈએ અને ત્યાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
આ કેસમાં પોલીસનું કહેવું છે કે તેઓએ હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. એડીજી પ્રયાગરાજ પ્રેમ પ્રકાશ કહે છે કે અમે નિવેદન નોંધી રહ્યા છીએ. ફિલ્ડ યુનિટ ફોરેન્સિક પુરાવા એકત્ર કરી રહ્યું છે. કાલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. અમે તારણોના આધારે કાર્યવાહી કરીશું. મહંત નરેન્દ્ર ગિરીના મોત મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

 

(11:15 am IST)