Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કેરળમાં કોરોનાનો કહેર ઘટ્યો : દેશમાં નવા 24,897 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 34.667 દર્દીઓ રિકવર થયા : વધુ 251 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.45.416 થયો :એક્ટીવ કેસ 3.02.311 થયા : કુલ કેસની સંખ્યા 3.35.02.744 થઇ

સૌથી વધુ કેરળમાં 15.692 કેસ,મહારાષ્ટ્ર્રમાં 2583 કેસ,તામિલનાડુમાં 1661 કેસ, આંધ્રપ્રદેશમાં 839 કેસ, કર્ણાટકમાં 677 કેસ,મિઝોરમમાં 558 કેસ, પશ્ચિમ બંગાળમાં 524 કેસ, ઓરિસ્સામાં 510 કેસ, આસામમાં 455 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 24.897 કેસ નોંધાયા છે. જ્યારે 34.667 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 24.897 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 251 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.45.416 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 24.897 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.35.02.744 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.02.311 થઇ છે છેલ્લા 24 કલાકમાં 34.667 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.27.42.059 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી કેરળમાં 15.692 કેસ,મહારાષ્ટ્ર્રમાં 2583 કેસ,તામિલનાડુમાં 1661 કેસ, આંધ્રપ્રદેશમાં 839 કેસ, કર્ણાટકમાં 677 કેસ,મિઝોરમમાં 558 કેસ, પશ્ચિમ બંગાળમાં 524 કેસ, ઓરિસ્સામાં 510 કેસ, આસામમાં 455 કેસ  નોંધાયા છે

(1:05 am IST)