Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર પીએમ મોદીનું ખાસ નિવેદન : કહ્યું-દ્રોપદી મુર્મૂ દેશના મહાન રાષ્ટ્રપતિ બની રહેશે.

દેશને મૂર્મુના અનુભવ અને કરુણાસભર સ્વભાવનો મોટો લાભ મળશે :મુર્મુને વહિવટીય કામનો બહોળો અનુભવ છે અને તેઓ ઉમદા રાષ્ટ્રીય કાર્યકાળ ધરાવે છે.

નવી દિલ્હી : NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ પર બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે દ્રોપદી મુર્મૂ દેશના મહાન રાષ્ટ્રપતિ બની રહેશે

પીએમ મોદીએ કહ્યું કે દેશને દ્રોપદી મૂર્મુના નીતિગત અનુભવો અને કરુણાસભર સ્વભાવનો મોટો લાભ મળશે. .

તેમણે કહ્યું કે મુર્મુને વહિવટીય કામનો બહોળો અનુભવ છે અને તેઓ ઉમદા રાષ્ટ્રીય કાર્યકાળ ધરાવે છે. 

દેશને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ મળી શકે છે કારણ કે ભાજપની આગેવાની વાળા એનડીએ ગઠબંધને આદિવાસી નેતા અને ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

વિપક્ષ બાદ હવે શાસક પાર્ટી એનડીએ પણ તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. મંગળવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સંસદીય બોર્ડની બેઠક મળી હતી જેમાં  દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. સંસદીય પક્ષની બેઠક બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે એનડીએ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 

વિપક્ષે ટીએમસીના પૂર્વ નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે.  વિપક્ષની આજે મળેલી બેઠકમાં યશવંત સિંહાને સર્વાનુમતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચૂંટી કાઢવામાં આવ્યાં હતા. આ બેઠકમાં ભાગ લેતા પહેલા યશવંત સિન્હાએ ટ્વીટ કર્યું, "TMCમાં મને જે સન્માન અને સન્માન આપ્યું છે તે માટે હું મમતા બેનર્જીનો આભારી છું. હવે સમય છે જ્યારે, એક વિશાળ રાષ્ટ્રીય હેતુ માટે, મારે પક્ષથી દૂર જવું જોઈએ અને વિપક્ષી એકતા માટે કામ કરવું જોઈએ. મને ખાતરી છે કે પાર્ટી મારા આ પગલાને સ્વીકારશે. TMCમાં  આજે મળનારી વિપક્ષની બેઠકમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર તરીકે યશવંત સિન્હાના નામનો પ્રસ્તાવ મૂકશે. જાણકારી મુજબ તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા આ મામલે ચર્ચા કર્યા બાદ સિન્હાએ આ પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી છે.

(10:59 pm IST)