Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

તેલંગણાના પશુપાલન મંત્રી સાથે ડો. કથીરીયાની ગોષ્‍ઠી

તેલંગણા સ્‍ટેટની દેશી પ્રજાની સુધારણા બુલ મધર ફાર્મ, ગૌશાળાને સ્‍વાવલંબી બનાવવા ગૌમૂત્ર-ગોબરના ઉપયોગ દ્વારા મહિલા સશક્‍તિકરણ અને યુવા રોજગાર, કાઉ ટુરીઝમ સેન્‍ટર તેમજ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રોમાં ગૌ આધારીત આર્ગેનિક ફાર્મીંગ માટે ગૌશાળાની સ્‍થાપના જેવા વિવિધ મુદ્દે ગૌસેવા આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ તેલંગણાના પશુપાલન મંત્રી શ્રીનિવાસ યાદવની મુલાકાત લઇ વિષદ ચર્ચા વિચારણા કરી હતી. આ સમયે આંધ્રપ્રદેશમાં ગૌસેવામાં કાર્યરત જસમતભાઇ પટેલ, રિધ્‍ધેશ જાગીરદાર, અમિતાભ ભટ્ટનાગર, પુરીશ કુમાર, આર. કે. જૈન, શેખર રેડી વગેરે પણ સાથે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:04 pm IST)