Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

જરૂર પડ્યે દુશ્મનને ઘરમાં ઘરમાં ઘૂસીને મારી શકાય છે :ગૃહમંત્રી રાજનાથસિંહની પાકિસ્તાનને ગર્ભિત ચેતવણી

નવી દિલ્હી ;જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાની અટકચાળા વધ્યા છે છેલ્લા સપ્તાહમાં સીઝ ફાયરના ઉલ્લંઘન અને રહેણાંક વિસ્તારોમાં પણ પાકિસ્તાની રેન્જરોએ ભારે ગોળીબારો કર્યા છે ત્યારે છેલ્લા પાંચ દિવસોથી પાકિસ્તાનની હરકતોને કારણે ભારતની ધીરજ હવે કદાચ ખૂંટી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ દ્વારા પાકિસ્તાનને ગર્ભિત ચેતવણી આપતા કહ્યું હતું કે  જરૂરત ઉભી થવા પર દુશ્મનના ઘરમાં ઘૂસીને પણ તેને મારી શકાય છે

(6:21 pm IST)