Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ચાંદલોદિયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે

નવી  દિલ્હી : પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી તહેવારની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે, પોરબંદરથી દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન 17 ઓક્ટોબરથી ચલાવાશે તે ટ્રેન ચાંદલોડીયાને બદલે અંબાલી રોડ સ્ટેશન પર રોકાશે.

આંબલી રોડ સ્ટેશન પર આ ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય નીચે મુજબ હશે-
1. ટ્રેન નંબર 09263 પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલા બપોરે 00.47 વાગ્યે અંબલી રોડ સ્ટેશન પર પહોંચશે અને પ્રસ્થાનનો સમય 00.49 રહેશે.
૨. આવી જ રીતે, રીટર્ન ટ્રેન નંબર 09264 દિલ્હી સરાઈ રોહિલા - પોરબંદર સ્પેશિયલ ટ્રેન બપોરે 02.00 વાગ્યે ઉપડશે અને પ્રસ્થાનનો સમય બપોરે 02.02 વાગ્યે રહેશે.

(11:52 pm IST)