Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ડીઝલ ટેન્‍કર અને ટ્રક વચ્‍ચે જોરદાર અથડામણ બાદ લાગી આગઃ દાઝી જવાથી ૯ લોકોના મોત

મુંબઈ, તા.૨૦: મહારાષ્‍ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્‍માત થયો છે. ડીઝલ ટેન્‍કર અને ટ્રક વચ્‍ચે જોરદાર અથડામણ બાદ વાહનોમાં ફસાઈ ગયા હતા. આગમાં દાઝી જવાથી ૯ લોકોના મોત થયા છે. એજન્‍સીના જણાવ્‍યા અનુસાર આ અકસ્‍માતમાં ટ્રક ડ્રાઈવરે પણ જીવ ગુમાવ્‍યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ચંદ્રપુર જિલ્લાના એક વિસ્‍તારમાં થઈ હતી. અકસ્‍માતની માહિતી મળતા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું કે ટ્રકમાં લાકડા ભરેલા હતા. હાલ અકસ્‍માતની તપાસ કરવામાં આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્‍માત ગુરુવારે રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્‍યે ચંદ્રપુર-મૂલ રોડ પર થયો હતો.

ચંદ્રપુર સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર સુધીર નંદનવરે જણાવ્‍યું હતું કે, ચંદ્રપુર શહેર નજીક અજયપુર નજીક ડીઝલ ભરેલું ટેન્‍કર લાકડાના લોગ વહન કરતી ટ્રક સાથે અથડાયું હતું. અકસ્‍માત બાદ આગ ફાટી નીકળી હતી જેમાં નવ લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા હતા.

વન વિભાગના સૂત્રોએ જણાવ્‍યું હતું કે અકસ્‍માતના લગભગ એક કલાક પછી અજયપુર ફાયર ફાયટર પહોંચ્‍યા હતા અને થોડા કલાકો પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. નંદનવરે કહ્યું કે પીડિતોના મળતદેહોને બાદમાં ચંદ્રપુર હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.

(4:04 pm IST)