Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ભાજપ અને કોંગ્રેસ ધન દ્વારા સત્તા અને સત્તા મારફત ધન કમાનારા પક્ષ છેઃ અન્નાની ધણધણાટી

માર્ચમાં રામલીલા મેદાનથી ખેડૂતો - જવાનો માટે લડતના મંડાણ કરશે : કહ્યું લોકશાહી ખતરામાં છે

નવી દિલ્હી : અન્ના હઝારેએ ફરી તેજ ગેંદબાજી શરૂ કરી દીધી છે. કહ્યુ કે, કોંગ્રેસ અને ભાજપ ધન દ્વારા સત્તા અને સત્તા મારફત ધન કમાવવાવાળા પક્ષ છે. જો દેશની જનતા જાગૃત નહિં બને તો દેશની લોકશાહી સતત ભયમાં છે.

મોદી સરકારને આડે હાથે લેતા અન્ના હજારેએ કહ્યુ કે લોકસભા અને રાજયસભામાં ખરડાઓ કોઈપણ ચર્ચા વિના પસાર કરવામાં આવે છે. જે દેશના લોકતંત્ર માટે ખતરો છે.

પોતાના હવા પછીના પગલા - યોજના અંગે અન્નાએ કહ્યુ કે તેઓ ખેડૂતો અને જવાનો માટેની લડત અંગે માર્ચ મહિનામાં દિલ્હીના રામલીલા મેદાનમાં આંદોલન શરૂ કરશે.

તેમણે કહ્યું કે એક તરફ નરેન્દ્રભાઈ મોદીની સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરે છે તો બીજી તરફ ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ અને નેતાઓ માટે કાયદો નબળો કરી રહ્યા છે.(૩૭.૪)

(12:00 pm IST)