Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભા ઐતિહાસિક બનશેઃનરેન્દ્રભાઈ બે વાર ચર્ચામાં ભાગ લેશે

નવી દિલ્હી,તા.૧૯: સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ સંયુકત રાષ્ટ્રના ૭૫માં સત્ર વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે આ વિશે સત્રમાં અનેક રીતે ઐતિહાસિક થવાનું છે. તેમણે જણાવ્યું કે સોમવારે શરુ થનારા આ ડિજિટલ સત્રમાં ૨ ચર્ચામાં પ્રધાનમંત્રી પણ ભાગ લેશે. પહેલી ચર્ચાંમાં પીએમ મોદી રાષ્ટ્રીય વકતવ્ય આપશે.

સંયુકત રાષ્ટ્રના ૭૫માં સત્રની બીજી ચર્ચા તથા બેઠક મહત્વની રહેશે. બેઠક અને ચર્ચા બન્ને આપણે કંઈક અલગ કરવા પ્રોત્સાહિત કરશે

તિરુમૂર્તિએ કહ્યું કે પહેલી ચર્ચા સામાન્ય હશે જયાં પીએમ મોદી રાષ્ટ્રીય વકતવ્ય આપશે. ત્યારે સોમવારે સંયુકત રાષ્ટ્રના ૭૫માં સત્રની શરુઆતને લઈને બીજી ચર્ચા તથા બેઠક મહત્વની રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન નિશ્યિત રુપે આપણી ભાગીદારીનું મુખ્ય આકર્ષણ હશે.

તિરુમૂર્તિએ આગળ કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકર પણ સંયુકત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના સ્તરે થનારી મંત્રીસ્તરીય બેઠોમાં ભાગ લેશે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે અમે એક અલગ પ્રકારની પરિસ્થિતિમાં આ સત્રમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ જે બહું જ રસપ્રદ થવાનો છે. ત્યારે કોરોના સંકટ અને આ મહત્વપૂર્ણ બેઠક બન્ને આપણે કંઈક અલગ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

(2:33 pm IST)