Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજુ શ્રીવાસ્તવ બ્રેઈન ડેડ જેવી સ્થિતિમાં, ઈશ્વરના ચમત્કારની જ આશા

નવી મુંબઈ, તા. 19 : દિલ્હીમાં હાર્ટ એટેક બાદ એઈમ્સ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ લગભગ બ્રેઈન ડેડ જેવી હાલતમાં છે અને હવે ઈશ્વર કોઈ ચમત્કાર કરે તેવી પ્રાર્થના થઈ રહી છે.
રાજુ શ્રીવાસ્તવના સલાહકાર અજિત સકસેનાએ મીડિયાને જણાવ્યું હતું કે તબીબોના જણાવ્યા અનુસાર રાજુનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તેના હૃદયની તકલીફો પણ વધી છે. પરિવારજનો પણ સમજી શકતા નથી કે આ શું થઈ રહ્યું છે. હવે ઈશ્વર કોઈ ચમત્કાર દાખવે તેવી આશા રાખવામાં આવી રહી છે.
માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર રાજુના મગજના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાથી સોજો આવ્યો છે. તેના એમઆરઆઈમાં મગજના કેટલાક ભાગોમાં ધાબાં જોવાં મળ્યાં છે. જીમમાં એક્સરસાઈઝ કરતી વખતે હાર્ટ એટેક આવ્યા બાદ પચ્ચીસ મિનિટ સુધી રાજુના મગજને આવશ્યક ઓક્સિજન મળ્યો ન હતો. તેના લીધે મગજને બહુ ડેમેજ થયું છે.
હજુ ગઈકાલ સુધી રાજુની તબિયત સ્હેજ સુધારા પર હોવાના અને તે સારવારને પ્રતિભાવ આપી રહ્યો હોવાનો સમાચાર હતા. ત્યાં હવે નવા ઘટનાક્રમથી તેના ચાહકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ છે અને સૌ તેનાં આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

 

(12:41 pm IST)