Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહના તેવર નરમ નથી થયાઃ બધા ધારાસભ્યોને જમવા બોલાવ્યાઃ નવનિયુકત કોંગ્રેસ અધ્યક્ષ નવજોતિસિંહ સિધ્ધુને બાકાત રાખ્ચા

મુખ્યમંત્રીએ તેઓને શુભેચ્છા પણ નથી પાઠવી

પંજાબમાં ભલે કોંગ્રેસે (Congress) નવજોત સિંહ સિદ્ધૂને (Navjot Singh Sidhu) નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી હોય પરંતુ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Amarinder Singh) પણ પોતાના તેવર નરમ કર્યા નથી. કેપ્ટન અમરિંદર સિંહે 21 જૂલાઈએ બધા ધારાસભ્યોને લંચ પર બોલાવ્યા છે. જાણકારી અનુસાર, આ લંચ માટે અત્યાર સુધી પંજાબ કોંગ્રેસના (Punjab Congerss) નવા અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધીને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પંચકૂલામાં આ લંચનું આયોજન કર્યું છે, જેમાં પાર્ટીના બધા ધારાસભ્યો, સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર, પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ બનેલા નવજોત સિંહ સિદ્ધૂને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે, રવિવારે સાંજે ખુબ જ લાંબી તકરાર પછી કોંગ્રેસના કેન્દ્રીય આલાકમાને નવજોત સિંહ સિદ્ધૂને પ્રદેશ કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ નિયુક્ત કર્યા. સિદ્ધૂ સાથે ચાર વર્કિંગ પ્રેસિડેન્ટ પણ બનાવવામાં આવ્યા છે. રવિવાર રાતથી લઈને અત્યાર સુધી સાર્વજનિક રીતે કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધીને પ્રદેશ અધ્યક્ષ બનાવવા પર શુભેચ્છા આપી નથી.

 

(4:07 pm IST)