Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પૂ.મોરારીબાપુ દ્વારા કેરળના પુર પીડિતો માટે એક લાખ પચીસ હજારની સહાય

રાજકોટ તા.ર૮ : ગ્લોબલ વોર્મિગની પરિસ્થિતિને કારણે ઋતુઓમાં અણધાર્યા ફેરફારો થતા જોવા મળે છે. એક તરફ સમગ્ર દેશમાંથી ચોમાસુ વિદાય લઇ રહયુ છે તેવે વખતે ગત બે ત્રણ દિવસો દરમિયાન કેરળમાં ભારે વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં ભુસ્ખલન અને પુરની સ્થિતિ સર્જવા પામી છે. પુરની પરિસ્થિતિને કારણે ર૧ લોકોના મૃત્યુ પણ થયા છે અને અનેક લોકો હજુ લાપતા પણ છે.

પુજય મોરારીબાપુએ ગઇકાલે કેરળના રાજયપાલ મહામહીમ શ્રી આરીફ મોહમદ ખાન સાહેબ સાથે ટેલીફોનીક વાતચીત કરી કેરળમાં આવેલા પુરને લીધે ઉદભવેલી સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. પૂજય બાપુએ અસરગ્રસ્ત લોકો માટે એમની સંવેદના મહામહિમ રાજયપાલશ્રી  સમક્ષ વ્યકત કરી હતી અને  અતિ ભારે વરસાદને લીધે જેઓ મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારજનોને તત્કાલ સહાય મળે તે હેતુથી હનુમાનજીની સાંત્વના સ્વરૂપે શ્રી ચિત્રકુટધામ ટ્રસ્ટ તલગાજરડા તરફથી રૂપિયા એક લાખ પચીસ હજારની તત્કાલ સહાય મોકલવા જણાવેલ છે. આ રાશી કેરળ રાજયપાલના રીલીફ ફંડ એકાઉન્ટમાં મોકલવામાં આવશે તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે. 

(3:36 pm IST)