Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય:દિલ્હીના ત્રણ નગર નિગમોનું એકીકરણ : નોટિફિકેશન બહાર પાડ્યું

કેન્દ્ર સરકાર નવી સંકલિત નાગરિક સંસ્થાને ચલાવવા માટે એક વિશેષ અધિકારીની નિમણૂક કરશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજધાની દિલ્હીના ત્રણ નગર નિગમોના એકીકરણ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનનો અમલ 22 મેથી કરવામાં આવશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) અધિનિયમ 2022 મુજબ કોર્પોરેશનની પ્રથમ બેઠક ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર નવી સંકલિત નાગરિક સંસ્થાને ચલાવવા માટે એક વિશેષ અધિકારીની નિમણૂક કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) અધિનિયમ, 2022 (2022 ના 10) ની કલમ 3 ની પેટા-કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે 22 તારીખે મે 2022 કોર્પોરેશનને એક કરશે

(10:41 pm IST)