Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

બારામુલ્લામાં આતંકીઓનો વાઈન શોપમાં ગ્રેનેડ હુમલો : એકનું મોત: ત્રણ લોકો ઘાયલ

હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો અને સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ અને કાશ્મીરમાં આજે આતંકવાદી હુમલાની ઘટના ફરી પ્રકાશમાં આવી છે. બારામુલ્લા જિલ્લામાં સ્થિત એક દારૂની દુકાન પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે જે પૈકી એકનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે જ્યારે આતંકવાદીઓએ દુકાન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ભીડ હતી. હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

આ પહેલા મંગળવારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના બે સહયોગીઓની ધરપકડ કરી હતી. પોલીસ પ્રવક્તાએ માહિતી આપી છે કે પોલીસે સુરક્ષા દળો સાથે મળીને બડગામમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે સહયોગીની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, વિસ્ફોટકો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

(11:57 pm IST)