Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

આંધ્ર પ્રદેશમાં નશામાં ધૂત વ્યકિતએ બકરાનાં બદલે મનુષ્યની બલી ચડાવી દીધી

નશામાં પશુને પકડી રહેલા પીડિત સુરેશનું ગળું કાપી નાખ્યું

હૈદ્રાબાદ, તા.૧૮: આંધ્રપ્રદેશના ચિત્ત્।ૂર જિલ્લાનાં વલાસપલ્લીમાં ૧૬ જાન્યુઆરી, રવિવારના રોજ આ દ્યટના બની છે. પશુની બલી ચડાવવાં દરમિયાન પીધેલાં વ્યકિતએ ભૂલથી માણસની હત્યા કરી દીધી હતી. આ દ્યટના સંક્રતિની ઉજવણી દરમિયાન બની હતી. આરોપી ચલપતિએ પશુઓની બલિ ચઢાવવાની અને બકરીનું માથું કાપવાનું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, બલી સમયે ચલપતિ નશામાં હતો અને તેણે પ્રાણીને પકડી રહેલા સુરેશનું ગળું કાપી નાખ્યું હતું.

સ્થાનિક યેલમ્મા (આંધ્રપ્રદેશની આશ્રયદાતા દેવી) મંદિરમાં પશુ બલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે આ દુખદ દ્યટના બની હતી. આ દ્યટના ત્યારે બની જયારે લોકોનું એક જૂથ મદનપલ્લે ગ્રામીણ મંડળના વલસાપલ્લેમાં પરંપરાના ભાગ રૂપે પ્રાણીનું બલિદાન આપી રહ્યું હતું. ગામના લોકો દર વર્ષે સંક્રાંતિની ઉજવણી દરમિયાન સ્થાનિક યેલમ્મા મંદિરમાં પ્રાણીઓનું બલિદાન આપે છે અને અર્પણ કરે છે. આ ત્યાંની પરંપરા છે

૩૫ વર્ષિય સુરેશ, જેનું ખૂબ લોહી વહી રહ્યુ હતુ, તેને તાત્કાલિક નજીકની મદનપેલે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જયાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. જયારે બીજી તરફ ચલપતિની પોલીસે ધરપકડ કરી છે.

(3:31 pm IST)