Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કાબુલમાં ભારતનું દૂતાવાસ બંધ નથી: અત્યાર સુધીમાં 1650થી વધુ લોકોએ ભારત પરત આવવા અરજી કરી

અફઘાનિસ્તાનની સ્થિતિ હાલ અતિ ગંભીર . લોકો દેશ છોડવા માટે મજબૂર

નવી દિલ્હી :  કાબુલમાં ભારતનું દૂતાવાસ બંધ કરાયું નથી. ભારત સરકારના સૂત્રોએ  જણાવ્યું છે કે 1650 થી વધુ લોકોએ ભારત પરત આવવા માટે પોતાની અરજી આપી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લેતા હાલ દેશમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે ,લોકો ખુબ જ દહેશતમાં જોવા મળી રહ્યા છે અને કાબુલ એરપોર્ટ પર ઉમટી પડ્યા છે. અફઘાનિસ્તાનની સ્થિતિ હાલ અતિ ગંભીર છે . લોકો દેશ છોડવા માટે મજબૂર થયાં છે.તાલિબાનોના આતંકથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે

 

(8:03 pm IST)