Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

'તારક મહેતા કા' ના આત્મરામ ભીડેના નિધનની ફેલાઈ અફવા

આત્મરામ ભીડેની ભૂમિકા ભજવતા મંદાર ચંદવાદકરએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને સચ્ચાઈ જણાવવી પડી

મુંબઈ :  પોપુલર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા એક દાયકાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોના તમામ પાત્રો ફેન્સ વચ્ચે ખાસ્સી એવી પ્રતિભા ધરાવે છે અને લાખો દિલોમાં રાજ કરે છે. પણ હવે શોના આત્મરામ ભીડેની ભૂમિકા ભજવતા મંદાર ચંદવાદકર સાથે જોડાયેલી એક અફવા ઉડી રહી છે. જેને લઈને એક્ટરે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને સચ્ચાઈ જણાવવી પડી હતી.

છેલ્લા કેટલાક દિવસથી મંદાર ચંદવાદકરના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. એક્ટરને જ્યારે આ વાતની ખબર પડી તો, તેમણે ફેન્સ સામે આવીને આ અફવા પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. તેમણે અફવા ફેલાવનારા લોકોને બરાબરનો ઉધડો લઈ લીધો હતો. 

મંદાર ચંદવાદકરે ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે, નમસ્કાર કેમ છો આપ બધાં, બધાંનું કામ કેવું ચાલી રહ્યું છે, હું પણ કામ પર છું. કોઈએ ન્યૂઝ ફોરવર્ડ કર્યા છે, મેં વિચાર્યું કે, કોઈને ચિંતા ન થાય એટલા માટે હું લાઈવ આવ્યો છું.

મંદારે આગળ કહ્યું કે, સોશિયલ મનીડિયા આગ કરતા પણ વધારે ઝડપી ફેલાઈ છે. હું કંફર્મ કરવા માગુ છું કે, હું સારી રીતે શૂટીંગ કરી રહ્યો છું. મજા આવી રહી છે. જેણે પણ આ કાંડ કર્યો છે, હું તેમને વિનંતી કરી રહ્યો છું કે, આવી અફવા ન ફેલાવો અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ કલાકારો તંદુરસ્ત છે અને સારા છે. બધા ખુશ છે અને આવાનારા કેટલાય વર્ષો સુધી લોકોનું મનોરંજન કરીશું. પ્લીઝ ફરીથી વિનંતી કરી રહ્યો છું કે , મહેરબાની કરીને આવી અફવા ન ફેલાવો. ધન્યવાદ

(11:22 pm IST)