Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોનાની બીજી લહેરે સર્જી બેરોજગારીની આફત : શહેરી બેકારી દર 10 ટકાએ પહોંચ્યો

કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો

નવી દિલ્હી : કોરોના રોગચાળાની બીજી લહેરે આર્થિક સુધારની ગતિ ફરી ધીમી કરી દીધી છે. રાજ્યો દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બેરોજગારી વધી છે. આ માહિતી સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE) ના ડેટા દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર 11 એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં શહેરી બેરોજગારી વધીને 9.81 ટકા થઈ ગઈ છે. તે 28 માર્ચે સપ્તાહ દરમ્યાન 7.72 ટકા અને માર્ચ મહિનાના આખા મહિનામાં 7.24 ટકા હતો.

બીજી તરફ રાષ્ટ્રીય બેરોજગારી આ સમયગાળા દરમિયાન વધીને 8.58 ટકા થઈ ગઈ છે, જે 28 માર્ચના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 6.65 ટકા હતી. એ જ રીતે આ સમયગાળા દરમિયાન ગ્રામીણ બેરોજગારી 6.18 ટકાથી વધીને 8% થઈ છે. નિષ્ણાતો કહે છે કે કોરોના સંક્રમણને રોકવા માટે ઘણા રાજ્યોના શહેરોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યો છે જેના પગલે બેકારી દરમાં વધારો થયો છે.

નિષ્ણાંતોના મતે માર્ચથી કોરોનાની બીજી લહેરની અસર શહેરી રોજગાર પર જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, છત્તીસગ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના શહેરોમાં આંશિક લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરોમાં મોરો, રેસ્ટોરન્ટ , બાર જેવા જાહેર સ્થળોએ શહેરી રોજગારમાં વધુ ઘટાડો થયો છે તે કોરોના નિયમોનું સખત પાલન કરે છે અને આગામી દિવસોમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

(11:42 am IST)