Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પ્રવીણ તોગડિયાના મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે

તોગડિયા હજુ સારવાર હેઠળ છે : રિપોર્ટ : સોમવારે સવારે રહસ્મય રીતે ગુમ થવા અને મોડી રાત્રે મળી આવવા અંગે તપાસનો દોર : કાર્યકરોમાં નારાજગી

અમદાવાદ,તા. ૧૬ : સોમવારના દિવસે ખુબ જ રહસ્મય સંજોગોમાં ગુમ થવા અને મોડી રાત્રે મળી આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદના લીડર પ્રવીણ તોગડિયાને લઇને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. જો કે તેમના નિવેદન પર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ૧૧ કલાકની આસપાસ લાપતા રહ્યા બાદ ગઇકાલે મોડી રાત્રે તોગડિયા મવી આવ્યા હતા. બીજી બાજુ ગઇકાલે તોગડિયા લાપતા થયા હોવાના હેવાલ આવ્યા બાદથી હોબાળો મચેલો હતો. પોલીસ તંત્રમાં પણ ભાગદોડ મચેલી હતી. પ્રવીણ તોગડિયા સવારે જે વ્યક્તિની સાથે નિકળ્યા હતા અને જે વ્યક્તિ હોસ્પિટલમાં લઇને આવી હતી તે બન્ને હાલમાં લાપતા છે. કેટલાક નવા પ્રશ્ન હાલમાં ઉપસ્થિત થઇ રહ્યા છે. કઇ દાઢીવાળી વ્યક્તિ સાથે તોગડિયા રવાના થયા હતા. પ્રવીણ તોગડિયા એવા કયા કામે ગયા હતા જેના કારણે તેમને સુરક્ષા જવાનોની જરૂર ન હતી. નહેરુનગર પાસે પહોંચ્યા બાદ એકાએક કેમ તેમનો ફોનનો સંપર્ક કપાઇ ગયો હતો. રાજસ્થાન પોલીસ આવનાર છે તેની જાણ તેમને હતી કે કેમ તે પણ એક પ્રશ્ન રહેલો છે. કોતરપુર રસ્તા પર જ તોગડિયા છે તેની ખબર કઇ રીતે પડી હતી. ક્ઇ અજણી વ્યક્તિએ ફોન કરીને તોગડિયાને હોસ્પિટલમાં ખસેડી લેવા માટે કહ્યુ હતુ તેને લઇને પણ રહસ્મય સ્થિતી છે. પોતે જાણીતા ડોક્ટર હોવા છતાં તેમને શુગરની તકલીફ છે તે અંગે તેમને જાણ ન થઇ તે પણ પ્રશ્ન ઉભો થાય છે. સમગ્ર મામલે કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી શકે છે. હાલમાં તેઓસારવાર હેઠળ છે પરંતુ તેમનુ નિવેદન ખુબ ઉપયોગી હોઇ શકે છે. રાજકીય કાવતરુ હતુ કે કેમ તેને લઇને પણ ચર્ચા ચાલી રહી છે.

 

(1:08 pm IST)