Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

જીજ્ઞેશ દલિત વોટથી નથી જીત્યાઃ તેનાથી સાવચેત રહોઃ માયાવતી

લખનૌ : બસપા પ્રમુખ માયાવતીએ ગઇકાલે પોતાનો ૬રમો જન્મદિવસ મનાવ્યોઃ આ પ્રસંગે તેમણે પોતાના સમર્થકો અને દલિતોને ગુજરાતના દલિત નેતા જીજ્ઞેશ મેવાણીથી દુર રહેવા સલાહ આપી હતીઃ તેમણે કહ્યુ હતુ કે, દલિત સમાજના જીજ્ઞેશ મેવાણીએ અપક્ષ તરીકે ચૂંટણી જીતી છે પરંતુ તેમાં દલિત મતોનું મોટુ યોગદાન નથીઃ તેમણે આ ચૂંટણી કોંગ્રેસ અને હાર્દિક પટેલના સમર્થનથી જીતી છેઃ આ જ કારણ છે કે એ બેઠક પર કોંગ્રેસે રણનીતિ હેઠળ પોતાના ઉમેદવાર ઉભા નહોતા રાખ્યાઃ કોંગ્રેસ હવે પડદા પાછળ રહીને જીજ્ઞેશને દેશના અલગ-અલગ વિસ્તારોમાં મોકલે છેઃ જીજ્ઞેશની આડમાં પોતાનો ફાયદો નિહાળી છેઃ આનાથી દલિત વર્ગે સાવધ રહેવાની જરૂર છે.

(11:49 am IST)