Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઉત્તર પ્રદેશમાં અરેરાટીભરી અંધશ્રદ્ધા:પોતાના બીમાર પુત્રને સાજો કરવા આપી બાળકની બલિ!

એટાના 5 વર્ષીય બાળકની પાડોશી ધર્મવીરએ તાંત્રિક ચંદનસિંહ પાસે અપાવી બલી;આરોપીઓ ફિલ્મોથી પ્રભાવિત

લખનૌ ;ઉત્તર પ્રદેશમાં કમકમાટીભર્યા અંધશ્રદ્ધાનો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પોતાના બીમાર પુત્રને સાજો કરવાની લાહ્યમાં પાડોશમાં રહેતા પુત્રનું અપહરણ કરીને તાંત્રિક પાસે બલી ચડાવી હતી એટાના પાંચ વર્ષના બાળકનો બે દિવસ પહેલા મૃતદેહ મળ્યો હતો બાળકની લાશ ઘરથી 7 કિલોમીટર દૂર મળી હતી.

   પોલીસનો દાવો છે કે, બાળકની બે સ્થાનીક તાંત્રિકોએ બલિ આપી હતીધરપકડ કરાયેલા બંને આરોપી બોલિવૂડની ફિલ્મોથી પ્રભાવિત હતા.

  પોલીસે જણાવ્યું હતું કે પ્યારેલાલનું ઘર શિવ ઓમપુરી કૉલોનીમાં છે. તે રિક્શા ચલાવે છે અને તેને છ બાળકો છે. 29 ડિસેમ્બરના રોજ તેનો 5 વર્ષીય પુત્ર રાજા ઉર્ફે ગુડ્ડુ ગુમ થઈ ગયો હતો. બાદમાં તેની લાશ મળી. તેના શરીર પર કેટલાક કાપા પણ હતા.

   એસએચઓ પંકજ કુમારે જણાવ્યું કે પ્યારેલાલ પાડોશમાં જ આરોપી ધર્મવીરનું ઘર છે. ધર્મવીર ડ્રાઈવર છે અને તેનો 14 વર્ષીય પુત્ર ખેંચની બીમારીથી પીડિત છે અને તેને બીમારીથી છૂટકારો અપાવવા માટે જ પ્યારેલાલના પુત્રની બલિ આપવામાં આવી હતી આરોપીએ પહેલા બાળકનું અપહરણ કર્યું અને બાદમાં તેને એક તાંત્રિક ચંદન સિંહ પાસે લઈ ગયો જેણે તેની બલિ આપી દીધી

 પંકજકુમારે વધુમાં જણાવ્યું કે, ચંદને જ ધર્મવીરને બાળકનું અપહરણ કરવા માટે ઉકસાવ્યો હતો, તેણે ધર્મવીરને કહ્યું કે, પાંચ વર્ષના બાળકની બલિ આપવાથી તેના પુત્રની બીમારી દૂર થઈ જશે.પૂછપરછમાં ધર્મવીરે જણાવ્યું કે, તેણે ‘સંઘર્ષ’ ફિલ્મ જોઈ હતી અને તે તેનાથી પ્રભાવિત થયો હતો. તેને વિશ્વાસ હતો કે, બાળકની બલિથી તેનો પુત્ર સાજો થઈ જશે. પોલીસ આરોપી ધર્મવીર અને તાંત્રિકને જેલમાં મોકલી દીધા છે.

(11:28 am IST)