Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કેરળમાં ઘટતા કોરોનાના કહેર વચ્ચે દેશમાં નવા 15.999 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 17.862 દર્દીઓ રિકવર થયા : વધુ 163 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.52.010 થયો :એક્ટીવ કેસ 1.95. 208 થયા : કુલ કેસની સંખ્યા 3.40.52.683 થઇ

સૌથી વધુ કેરળમાં 8867 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2149 કેસ, તામિલનાડુમાં 1245 કેસ, મિઝોરમમાં 901 કેસ, આંધ્રપ્રદેશમાં 586 કેસ,કર્ણાટકમાં 470 કેસ, ઓરિસ્સામાં 467 કેસ, પશ્ચિમ બંગાળમાં 451 કેસ,આસામમાં 207 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 15.999 કેસ નોંધાયા છે. જ્યારે 17.862 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 15.999 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 163 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.52.010  થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 16.999 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.40.52.683 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.95.208 થઇ છે છેલ્લા 24 કલાકમાં 17.682 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.33.92.347 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 8867 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2149 કેસ, તામિલનાડુમાં 1245 કેસ, મિઝોરમમાં 901 કેસ, આંધ્રપ્રદેશમાં 586 કેસ,કર્ણાટકમાં 470 કેસ, ઓરિસ્સામાં 467 કેસ, પશ્ચિમ બંગાળમાં 451 કેસ,આસામમાં 207 કેસ નોંધાયા છે

(1:00 am IST)