Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ડો. પ્રવિણ તોગડીયાને મળતા ડી. જી. વણઝારા, હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા

અમદાવાદ તા. ૧૬ :.. વિશ્વ હિન્દુ પરિષદના આંતર રાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઇ તોગડીયા ગઇકાલે બપોરથી ગુમ થયા બાદ મોડી રાત્રીના બેભાન હાલતમાં  મળી આવ્યા હતાં. ત્યારબાદ તેઓને મળવા અને ખબર અંતર પુછવા માટે મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચ્યા હતાં.

વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતા પ્રવિણ તોગડિયાની ભાળ મળ્યા બાદ આજે તેમના સમર્થકો તેમને મળવા પહોંચી રહ્યા છે. શુગર લેવલ લો થઈ જવાથી તેઓ ચંદ્રમણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને ત્યાં જ ગોંડલ સ્વામીનારાયણ મંદિરના પી.સી.સ્વામી પહોંચ્યા હતા.

આ ઉપરાંત પાટીદાર યુવાન નેતા દિનેશ બાંભણીયા પણ ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા. આ ઉપરાતં પૂર્વ ત્ભ્લ્ અધિકારી ડી.જી.વણઝારા પણ ચંદ્રમણી હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં પ્રવિણ તોગડિયા સાથે મુલાકાત કરી. તેમજ પાસ કન્વીનર હાર્દિક પટેલ અમદાવાદમાં ચંદ્રમણી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રવિણ તોગડિયાને મળવા પહોંચ્યો છે.

પાટીદાર, ધર્મ, હિન્દુત્વ, રાષ્ટ્રીયતા, સામાજિક, રાજકીય વગેરે મુદ્દાને લઇને ચાલતા આગેવાનો એક ૫છી એક હોસ્પિટલ ખાતે ૫હોંચી રહ્યા છે. જો કે તબીબો દ્વારા તેમને આરામ કરવાની સલાહ આ૫વામાં આવી છે.

(4:07 pm IST)