Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

તિસ્તા શીતલવાડને ફટકોઃ ખાતા ડીફ્રીઝ કરવા સુપ્રીમ કોર્ટની ના

નવી દિલ્હીઃ ૨૦૦૨ના ગુજરાતના રમખાણોમાં ગુલબર્ગ સોસાયટીમાં પીડિતો માટે મેમોરિયલ બનાવવા માટે ફંડની હેરફેરના આરોપી સામાજીક કાર્યકર્તા તીસ્તા શીતલવાડ અને તેમના ટ્રસ્ટના બેંક ખાતા ફ્રીઝ કરવાના મામલામાં સુપ્રિમ કોર્ટે ફેંસલો સંભળાવતા કહ્યુ છે કે, ખાતા ફરીથી શરૂ કરી નહિ શકાયઃ કોર્ટે ખાતા ડીફ્રીઝ કરવાની મનાઈ ફરમાવી છેઃ ૨૫ જુલાઈએ કોર્ટમાં તીસ્તાએ ખાતા ફરી ખોલવા દેવાની માંગ કરી હતી

(3:42 pm IST)