Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહ કોરોના સંક્રમિત : ટ્વિટ કરીને આપી જાણકારી

ટ્વીટ કરીને કહ્યું મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ખુદને આઈસોલેટ કરે અને કોરોનાની તપાસ કરાવે

નવી દિલ્હી : મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેણે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે.

મુખ્યમંત્રી બિરેનસિંહે ટ્વિટ કરીને કહ્યું છે કે, હૂં કોવિડ-19 સંક્રમિત થયો છું. તાજેતરમાં જ મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને અપીલ કરૂ છું કે તે ખુદને આઈસોલેટ કરે અને કોરોનાની તપાસ કરાવે.

(7:39 pm IST)