Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

બાયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈ અક્ષય કુમારે ઈન્ડસ્ટ્રીને થતા નુકસાન વિશે મૌન તોડ્યું

ફિલ્મનાં બહિષ્કારની મુહિમથી મોટું નુકસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નુકસાનની સાથે તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર પણ અસર પડે : ખિલાડી કુમાર

મુંબઈ તા.15 : રક્ષાબંધન ફિલ્મની કમાણી જોઈને અક્ષય કુમાર ઢીલા પડી ગયા છે બાયકોટ થવાના કારણે ફિલ્મને એમને ભારે નુકશાન થઈ ગયું છે ચાર દિવસમાં આ ફિલ્મ માત્ર 28 કરોડ કમાણી કરી શકી છે હવે આ બાયકોટથી કંટાળીને અક્ષય કુમારે મૌન તોડ્યું છે. આ દરમિયાન બાયકોટ ટ્રેન્ડના કારણે ઈન્ડસ્ટ્રીને થતા નુકસાન વિશે પણ ચર્ચા કરી છે.

તાજેતરમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર બાયકોટ કરવામાં આવી. અક્ષયની ફિલ્મ રિલીઝના ત્રણ દિવસમાં પણ કમાણી કરી શકી નથી. તાજેતરમાં હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અક્ષયે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અક્ષય કુમારે જણાવ્યું કે- ફિલ્મને બાયકોટ કરવાની હરકત લોકો દ્વારા કરવામાં આવે છે, મારી વિનંતી છે કે તે લોકો આવું ન કરે. એક ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોની મહેનત અને પૈસા લાગે છે. આવી સ્થિતિમાં આ બહિષ્કાર મુહિમથી મોટું નુકસાન થાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નુકસાનની સાથે સાથે તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર પણ અસર પડે છે. તેનાથી દેશની ઈકોનોમીને ભારે નુકસાન થાય છે. તેના દ્વારા ક્યાંક ને ક્યાંક આપણે પોતાને પણ નુકસાન પહોંચાડી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આવું કરનારા લોકોને ટૂંક સમયમાં અહેસાસ થશે.

બોલિવૂડ બાયકોટ સિવાય અક્ષય કુમારે સાઉથ સિનેમાની હિટ ફિલ્મો વિશે પણ ચર્ચા કરી છે. અક્ષયે જણાવ્યું કે, ફિલ્મ હિટ ત્યારે થાય છે, જ્યારે તે સારી બને છે. તેમાં એ કહેવું ખોટું છે કે તે સાઉથ ઈન્ડસ્ટ્રીની ફિલ્મ હતી એટલે ચાલી. ફિલ્મ પોતાના સારા પ્રદર્શનના કારણે ચાલે છે. બાયકોટના કારણે અક્ષય કુમારની રક્ષાબંધન બોક્સ ઓફિસ પર સારી કમાણી ન કરી શકી.

(8:01 pm IST)