Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ઔવેસીનાં મસુરીના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને લોકોની ભીડ બેકાબુ બની : ખુરસીઓ તૂટી : અનેક લોકોને ઇજા

સાંભળવા આવેલા લોકોમાં અવ્યવસ્થા સર્જાતા ઔવેસીને ભાષણ આપ્યા વગર જ પાછું ફરી જવું પડયું

નવી દિલ્હી : એઆઈઆઈએનએમનાં વડા અસદુદીન ઔવેસીનાં મસુરી ખાતેના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને તેમની સાથે આવેલા લોકોની ભીડ બેકાબુ બની ગઈ હતી. સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે લોકો એકબીજા પર પડયાં. ખુરશીઓ તૂટી ગઈ અને કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં

 ઉતરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીનાં ભાગરૂપે  એઆઈઆઈએનએમનાં વડા ઔવેસી ગાઝીયાબાદનાં મસુરી વિસ્તારમાં પહોંચ્યા હતાં. જયાં તેઓ ભાષણ આપવાના હતાં. પરંતુ તેમને જોવા સાંભળવા આવેલા લોકોમાં અવ્યવસ્થા સર્જાતા ઔવેસીને ભાષણ આપ્યા વગર જ પાછું ફરી જવું પડયું હતું. કાર્યક્રમમાં હાજર પોલીસે કાર્યકર્તાઓની ભીડ વચ્ચે ઔવેસીને સુરક્ષિત રીતે કાર્યાલય સુધી પહોંચાડી સ્થળ ખાતે થયેલો ચકકાજામ ખોલાવ્યો હતો. કાર્યક્રમમાં ઔવેસી પહોંચ્યા બાદ માત્ર એકજ મિનિટમાં પાછા ફરી ગયા હતા.

(6:42 pm IST)