Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દેશમાં કોરોનાની વિદાયમાં વિલંબ : દેશમાં નવા 41.755 કેસ નોંધાયા : વધુ 39.289 દર્દીઓ રિકવર થયા : વધુ 578 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.12.019 થયો :એક્ટીવ કેસ 4.26.028 થયા : કુલ કેસની સંખ્યા 3.09.86.803 થઇ

સૌથી વધુ કેરળમાં 15.637 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8602 કેસ,આંધ્રપ્રદેશમાં 2591 કેસ, તામિલનાડુમાં 2458 કેસ, ઓરિસ્સામાં 2074 કેસ,આસામમાં 2046 કેસ, કર્ણાટકમાં 1990 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 41.755 કેસ નોંધાયા છે. જ્યારે 39.289 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 41.755 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 578 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.12.019 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 41.755 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.09.86.803 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.26.028 થઇ છે છેલ્લા 24 કલાકમાં 39.289 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.01.36.483 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 15.637 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8602 કેસ,આંધ્રપ્રદેશમાં 2591 કેસ, તામિલનાડુમાં 2458 કેસ, ઓરિસ્સામાં 2074 કેસ,આસામમાં 2046 કેસ, કર્ણાટકમાં 1990 કેસ નોંધાયા છે

(1:01 am IST)