Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

આસામમાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત :બે પાયલોટના મોત

જોરહાટ એરબેઝથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ માજુલી જિલ્લમાં દુર્ઘટના :તપાસના આદેશ

 

આસામમાં ભારતીય વાયુસેનાનું  વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટ્સના મોત નીપજ્યા છે દુર્ઘટનાની તપાસના આદેશ કરાયા છે

  અંગેની મળતી વિગત મુજબ માઈક્રોલાઈટ વિમાન તેની નિયમિત ઉડાણ માટે જોરહાટના એરબેઝથી રવાના થયું હતું. વિમાન ઉડાણના થોડા સમય બાદ  માજુલી જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અધિકારીએ કહ્યુ છે કે વિમાનના કાટમાળની ભાળ મળી છે અને કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે.

   માજુલી જિલ્લાની પોલીસે દુર્ઘટના અને તેમા થયેલા મોતની ઘટનાને પુષ્ટિ આપી છે પોલીસ અધિકારીએ જણાવ્યુ છે કે સુમોઈમારી ચપોરીમાં દુર્ઘટના થઈ છે. સંરક્ષણ વિભાગ અને વાયુસેનાકર્મી માજુલી પહોંચ્યા છે

(11:34 pm IST)