Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જમીન કબ્જા મામલે કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ સામે ફરીયાદ થઇ

પટના તા. ૧૭ : કેન્દ્ર સરકારના મંત્રી ગીરીરાજસિંહ સામે જમીન કબ્જા મામલે ફરીયાદ થતા વધુ એક વિવાદ ઉભો થયો છે.

એક દલીત પરિવારની જમીન પર કબજા કરવાના મામલે કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ સામે ફરીયાદ થઇ છે. પટના પોલીસના જણાવ્યા મુજબ અનુ.જાતિ તથા જનજાતિ વિશેષ અદાલતના હુકમ મુજબ કેન્દ્રીયમંત્રી ગીરીરાજસિંહ તથા અન્ય ૩ર વ્યકિતઓ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

(12:29 pm IST)