Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

તાલિબાનના વધતા આતંક વચ્ચે અફઘાનના નાગરિકોને ભારત આપશે આશરો !?: વિઝા અરજીમાં ધરખમ વધારો

ગહન ચર્ચા વિચારણા કરી આ બાબતે સકારાત્મક અભિગમ દાખવી શકે

નવી દિલ્હી :  તાલિબાનના વધતાં આંતક વચ્ચે અફઘાનિસ્તાનથી મોટી સંખ્યામાં લોકો ભારત આવવા ઈચ્છી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તાલિબાનની ખતરાને ઓળખી અફઘાની નાગરિકો ભારત આવવા વીઝા માંગી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વીઝા નિવેદનની અરજીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

 અફઘાનિસ્તાનમાં તાલિબાન એક બાદ એક શહેરોને પોતાની બાનમાં લઈ રહ્યું છે કાબુલ સુધી પણ પહોંચવાની તૈયારી છે. ત્યારે ત્યાંથી બચીને ભારત આવતા અફઘાની નાગરિકો માટે ભારત સરકાર રહેમ નજર રાખી શકે છે. અને ગહન ચર્ચા વિચારણા કરી આ બાબતે સકારાત્મક અભિગમ દાખવી શકે છે.

(9:47 pm IST)