Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

૭૫મો સ્વતંત્રતા દિવસઃ જાણો કયાં બને છે ભારત દેશનો તિરંગો ? ૨૫૦ લોકોની ટીમ કરે છે ઝંડો બનાવવાનુ કામ

નવી દિલ્હીઃ આખા દેશમાં આવતીકાલે ૭૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ ઓગસ્ટના રોજ ફરી એક વાર દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાવશે. પરંતુ શું તમે જાણો છો કે લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, દેશના દરેક સરકારી બિલ્ડિંગમાં, આપણી સેના દ્વારા ફલેગ હોસ્ટિંગ સમયે, વિદેશમાં રહેલા ભારતીય દૂતાવાસોમાં લહેરાવવામાં આવતા ઝંડા કયા બને છે ?

એ કયા હાથ છે, જે દેશની આન, બાન અને શાન કહેવાતા તિરંગા બનાવે છે ?

અહીં બને છે ત્રિરંગો

કર્ણાટકના હુબલી શહેરના બેંગેરી વિસ્તારમાં સ્થિત કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુકત સંઘ (ફેડરેશન) એટલે કે KKGSS રાષ્ટ્રધ્વજ ત્રિરંગો બનાવે છે. KKGSS એ દેશનું એકમાત્ર અધિકૃત રાષ્ટ્રીય ધ્વજ ઉત્પાદન એકમ છે જે ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા પ્રમાણિત છે. એટલે કે તેમના સિવાય અન્ય કોઈ રાષ્ટ્રધ્વજ નથી બનાવતું. તેને હુબલી યુનિટ પણ કહેવામાં આવે છે.

૨૦૦૬ થી સંસ્થા બનાવી રહી છે ત્રિરંગો

KKGSSની સ્થાપના નવેમ્બર ૧૯૫૭ માં થઈ હતી. તેણે ૧૯૮૨ થી ખાદી બનાવવાની શરૂઆત કરી. ૨૦૦૫–૦૬ માં તેને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી સર્ટિફિકેટ મળ્યું અને તેણે રાષ્ટ્રધ્વજ બનાવવાનું શરૂ કર્યું. દેશમાં જયા પણ સત્ત્।ાવાર રીતે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યા અહીંથી બનાવેલા ધ્વજ નો સપ્લાય કરવામાં આવે છે. વિદેશમાં રહેલા ઈંડિયન એંબેસીઝ એટલે કે ભારતીય દૂતાવાસો માટે પણ અહીં બનેલા તિરંગા જાય છે. કોઈપણ કુરિયર દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ધ્ધ્ઞ્લ્લ્ ઓર્ડર કરીને ખરીદી શકે છે.

ટેબલથી લઈને રાષ્ટ્રપતિ ભવન માટે અલગ અલગ આકારના ઝંડા

૧- સૌથી નાનો ૬: ૪ ઇંચ- મીટિંગ અને કોન્ફરન્સમાં ટેબલ પર મુકવામાં આવતો ધ્વજ.

૨ - ૯: ૬ ઇંચ - VVIP કાર માટે

૩- ૧૮:૧૨ ઇંચ રાષ્ટ્રપતિના સ્સ્ત્ભ્ વિમાન અને ટ્રેન માટે

૪- ૩: ૨ ફૂટ- રૂમમાં ક્રોસ બાર પર દેખાતા ફલેગો

૫- ૫.૫ૅં ૩ ફુટ - રૂમમાં ક્રોસ બાર પર દેખાનારા ઝંડા

૬- ૬: ૪ ફુટ - મૃત સૈનિકોના મૃતદેહો અને નાની સરકારી ઇમારતો માટે

૭- ૯: ૬ ફુટ - સંસદ ભવન અને મધ્યમ કદના સરકારી ઇમારતો માટે

૮- ૧૨: ૮ ફૂટ- ગન કૈરિએજ, લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન માટે

૯– સૌથી મોટો ૨૧ૅં૧૪ ફૂટ - ખૂબ મોટી ઇમારતો માટે

રાષ્ટ્રીય ધ્વજ બનાવવો સહેલો નથી

KKGSS માં બનાવેલા રાષ્ટ્રધ્વજની ગુણવત્ત્।ા ગ્ત્લ્ દ્વારા ચેક કરવામાં આવે છે. જો થોડો પણ ડિફેકટ દેખાય તો તેને રિજેકટ કરવામાં આવે છે. બનનારા તિરંગામાં લગભગ ૧૦ ટકા રિજેકટ થાય છે. દરેક સેકશન પર કુલ

૧૮ વખત તિરંગાની કવોલિટી ચેક કરવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજને કેટલાક માનકો પર ખરા ઉતરવાનુ હોય છે. જેવુ કે -KVIC અને BIS દ્વારા નિર્ધારિત રંગના શેડ થી તિરંગાનો શેડ અલગ ન હોવો જોઈએ.

કેસરી, સફેદ અને લીલા કાપડની લંબાઈ અને પહોળાઈમાં થોડો પણ તફાવત હોવો ન જોઈએ, આગળ-પાછળના ભાગ પર અશોક ચક્રની છાપ એક સમાન હોવી જોઈએ. ફલેગ કોડ ઓફ ઈંડિયા ૨૦૦૨ની

જોગવાઈ મુજબ ઝંડાની મૈન્યુફેકચરિંગમાં રંગ, સાઈઝ કે દોરાને લઈને કોઈપણ પ્રકારનો ડિફેકટ એક ગંભીર અપરાધ છે અને આવુ હોય તો દંડ અથવા જેલ કે પછી બંને સજા થઈ શકે છે.

ભારતનો ઝંડો બનાવવા માટે આટલા લોકો કરે છે મહેનત

Indian national flag Tiranga manufacturing place KKGSS ના હેઠળ તિરંગા માટે દોરો બનાવવાથી લઈને ઝંડાની પએકિંગ સુધીમાં લગભગ ૨૫૦ લોકો કામ કરે છે. તેમા લગભગ ૮૦-૯૦ ટકા મહિલાઓ છે. તિરંગાને કુલ આટલા ચરણમાં બનાવાય છે. - દોરો બનાવવો, કપડાની સિલાઈ, બ્લીચિંગ અને ડ્રોઈંગ, ચક્રનુ છાપકામ, ત્રણ પટ્ટીઓની સિલાઈ, પ્રેસ કરવી અને ટાઙ્ખગલિંગ

અન્ય પ્રોડકટ પણ બનાવે છે આ સંસ્થા

KKGSS નુ મુખ્ય ઉત્પાદન રાષ્ટ્રીય ધ્વજ છે. આ ઉપરાંત ધ્ધ્ઞ્લ્લ્ ખાદીના કપડા, ખાદી કાર્પેટ, ખાદી બેગ, ખાદી કેપ્સ, ખાદી બેડશીટ, સાબુ,હાથથી બનાવેલા કાગળ અને પ્રોસેસ્ડ મધ પણ બનાવે છે.

(10:18 am IST)