Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટને પાંચ વર્ષ માટે આવકવેરામાંથી મુક્તિ

ટ્રસ્ટ રિસર્ચની પ્રવૃત્તિમાં હોવાની જોગવાઈ હેઠળ મુક્તિ અપાઈ

નવી દિલ્હી :  આવકવેરા વિભાગે પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટને પાંચ વર્ષ માટે આવકવેરામાંથી મુક્તિ મંજુર કરી દીધી છે. ૧૨ જુલાઈના નોટિફિકેશનમાં આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ટ્રસ્ટ રિસર્ચની પ્રવૃત્તિમાં હોવાની જોગવાઈ હેઠળ આવકવેરા કાનૂન ૧૯૬૧ની કલમ ૩૫ની પેટા કલમ ૧ના ક્લોઝ તથા આવકવેરા નિયમ ૧૯૬૨ના નિયમ ૫ઝ્ર અને ૫ડ્ઢ હેઠળ આ મુક્તિ આપવામાં આવી હતી. અધિકૃત ગેઝેટમાં આ મુક્તિની મંજુરી પ્રકાશિત થઈ જાય એ પછી તરત એનો અમલ ચાલુ થઈ જશે અને પાંચ વર્ષ સુધી એટલે કે ૨૦૨૧-૨૨થી ૨૦૨૭-૨૮ સુધી આવકવેરા મુક્તિ મળશે.

(12:32 pm IST)